પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૪/૧૦/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ.નં.૮૬/૨૦૨૦ તા.૩૦/૦૯/૨૦૨૦ અન્વયે ગુમ થનાર હીમાની ડો/ઓ નીલેશભાઇ ભીખુભાઇ અટારા ઉ.વ.૧૯ રહે.છાંયા નવાપરા ચાર રસ્તા પોરબંદરને કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.એચ.સીદી તથા સ્ટાફના માણસોએ તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરતધ્યાન પર આવે તેવી બાબતો-
(૧) તા.૩૦/૦૯/૨૦૨૦ ના ક.૧૬/૦૦ થી ક.૧૭/૦૦ સુધી હાલમાં કોરોના વાયરસ ના સંક્રમણને ધ્યાન માં રાખી કમલાબાગ પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી એન.એન.રબારી તથા ડી-સ્ટાફ પો.સબ.ઈન્સ.શ્રી એચ.એન.ચુડાસમા તેમજ પોલીસ સ્ટાફના માણસો કમલાબાગ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ સત્યનારાયણ મંદીર ખાતે આવેલ આશરે ૭૦ થી ૮૦ દર્શનાર્થીઓને આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરવામાં આવેલ.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર