|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૧/૦૨/૨૦૧૯ થી તા.૧૭/૦૨/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
(૩) ટ્રાફિક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય
- તા.૦૪/૦૨/૨૦૧૯ ના રોજ રૂપાળીબાગ ખાતે ૩૦ મું માર્ગ સલામતિ સપ્તાહનું ઉદઘાટન કરવામાં આવેલ અને રૂપાળીબાગથી રાણીબાગ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે રેલીનું આયોજન કરવામાં આવેલ
- તેમજ વનાણા ટોલનાકા નેશનશલ હાઇવેના કર્મચારીઓ સાથે ટ્રાફિક અવેશનેશ કાર્યક્રમ હાજર આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા રોડ અકસ્માત અંગે માહિતી આપેલ.
- તા.૦૫/૦૨/૨૦૧૯ ના રોજ ખાગેશ્રી ખાતે ન્યુ એરા માધ્યમિક સ્કુલમાં ટ્રાફિક સેમીનાર યોજવામાં આવેલ જેમાં ૨૦૦ વિધાર્થીઓને ટ્રાફિક અંગે માર્ગ દર્શન આપવામા આવેલ.
- તા.૦૬/૦૨/૨૦૧૯ ના રોજ પોરબંદર શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમન અને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે ટ્રાફિક નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ
- તા.૦૭/૦૨/૨૦૧૯ ના રોજ રાણા કંડોરણા ખાતે પટેલ મેઘજીભાઇ હાઇસ્કુલમાં ટ્રાફિક સેમિનાર યોજવામાં આવેલ જેમાં ૧૬૫ વિદ્યાર્થીઓને ટ્રાફિક લગત શિક્ષણ આપવામાં આવેલ છે. તેમજ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ
- તા.૦૭/૦૨/૨૦૧૯ ના રોજ સુધી પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં સામાન્ય નાગરીક સુધી ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેવા હેતુથી ટ્રાફિક એવરનેશનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ખારવાવાડ વિસ્તારના પ્રજાજનોએ બહોળી સંખ્યામાં હાજર રહેલા
- તા.૦૮/૦૨/૨૦૧૯ ના રોજ રાણા વડવાળા રોડ ઉપર ટ્રાફિક અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.
- તેમજ પોરબંદર પોલીટેકનીક કોલેજ ખાતે કોલેજના આશરે ૨૦૦ થી ૩૦૦ વિધાર્થી / વિધાર્થીઓને ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વિધાર્થીઓને નિયમોનું પાલન કરવા રોડ અકસ્માતના બનતા બનાવો અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
- તા.૦૯/૦૨/૨૦૧૯ ના રોજ ગોઢાણીયા કોલેજ ખાતે ટ્રાફિક સેમીનારનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૫૦ વિધાર્થીઓને ટ્રાફિક લગતા જાણકારી આપી ટ્રાફિક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ છે.
- તા.૧૦/૦૨/૨૦૧૯ ના રોજ ૩૦ મું માર્ગ સલામતિ સપ્તાહ નિમીતે ચોપાટી ખાતે સમાપન સમારોહ રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત નાગરિકો તેમજ લોકોમાં ટ્રાફિકને લગત જાગૃતિ આવે તે માટે તમામ અધિકારીઓ દ્રારા ટ્રાફિકના નિયમોનું ભંગ ન થાય તે માટે અપીલ કરવામાં આવી
- તેમજ પોરબંદર શહેર તેમજ હાઇવે રોડ ઉપર ટ્રાફિક લગત નિયમોનું ઉલંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ વાહન ચાલકો પાસે સ્થળ દંડ રૂપે રૂપિયા ૧૮૮૨૨૦/- જેટલો દંડ વસુલ પણ કરવામાં આવેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|