|
રીક્ષા ચાલક માટેના સુચનો :
- લાયસન્સ તથા બેઝ વગર રીક્ષા ચલાવવી નહીં ડ્રઈવીંગ લાયસન્સ, રીક્ષાના દસ્તાવેજ અને પી.યુ.સી.પ્રમાણપત્ર હંમેશા સાથે રાખવા.
- રીક્ષા ચાલકોએ બેઝ હંમેશા લગાવી રાખવો.
- ટ્રાઈવરશીટ ઉપર કે ભયજનક રીતે પેસેન્જર કોઈપણ સંજોગોમાં બેસાડવા નહી.
- પેસેન્જર બેસાડતી વખતે કે ઉતારતી વખતે રીક્ષાને રોડની સાઈડ ઉપર ઉભી રાખવી.
- રીક્ષા સ્ટેન્ડ સિવાય ગમે ત્યાં કે રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ બને એ રીતે રીક્ષા ઉભી રાખવી નહી.
- પેસેન્જર સાથે હંમેશા નમ્રતાભર્યુ વર્તન રાખવું અને નશીલા પદાથોર્નું સેવન કરી વાહન ચલાવવું નહી.
- પ્રદુષણ ફેલાવતા પ્રતિબંધિત બળતણ (Fuel)એટિલે કે નેપ્થા, કેરોસીન વિગેરે વાપરવા નહી.
- વાહનની હેડલાઈટ, બ્રેકલાઈટ અને બ્રેક ચાલુ હાલતમાં છે તેની ખાત્રી કરવી અને વાહન પાછળ રીફલેકરટ અવશ્ય લગાવવું.
- અકસ્માતમાં ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ જવા મદદરૂપ બનવું.
- થ્રી વ્હીલ વાહન બરાબર ચલાવતા આવડે પછી ચલાવવુ જોઈએ. વાહન નિયંત્રણમાં રહે તે રીતે ચલાવવુ.
- થ્રી વ્હીલ વાહન ચલાવતી વખતે વળાંકવાળા રસ્તા ઉપર વાહન ધીમુ કરો અને બ્રેક મારવી નહી.
- શાળાના બાળકો માટે ફરતી રીક્ષાઓએ ૧૦થી વધુ બાળકો બેસાડવા નહીં.
- મુસાફર જયારે મુસાફરી પુરી કરીને જાય ત્યારે વાહનમાં કોઈ ચીજવસ્તુ ચેક કરવી અને જે તે મુસાફરને જાણ કરવી. આર.ટી.ઓ. દ્વારા નિયત થયેલ જગ્યાએ વાહનના નંબર નોંધેલા હોય તેની ખાત્રી કરવી.
- જયારે મુસાફરી ચાલુ હોય અને રસ્તામાં કોઈ મુસાફર હાથ બતાવે તો રસ્તાની સાઈડમાં અડચણ ન પડે તે રીતે વાહન ઉભુ રાખવુ. ચાર રસ્તા પર તેમજ ''રુલ ઓફ રોડ રેગ્યુલેશન'' નો ભંગ ન થાય તેની તકેદારી લેવી.
- રીક્ષામાં અવશ્ય મીટર રીડર રાખવુ અને તે સંબંધેના ભાવ પત્રક સાથે રાખવું.
- રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાંથી પસેન્જર ઉતરી ગયા પછી કોઇ સામાન કે મીલ્કત રહી ગઇ હોય તો તે પરત કરી દેવી જોઇએ અથવા નજીકના પોલીસ સ્ટેશનમા જમા કરાવવી જોઇએ
|
|