પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૯/૧૨/૨૦૧૯ થી તા.૧૫/૧૨/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કુતિયાણા પો.સ્ટે. જા.જોગ.નં.૧૭/૧૯ તા.૦૭/૧૨/૨૦૧૯નાં કામે ગુમ થનાર મેણંદ નાથાભાઇ લુવા ઉ.વ.૨૩ રહે.ગોકરણ ગામ તા.કુતિયાણા જી.પોરબંદર વાળાને પો.સબ.ઇન્સ.શ્રી કે.એસ.ગરચર તથા પો.સ્ટાફના માણસો દ્વારા તપાસ દરમ્યાન તા.૧૩/૧૨/૨૦૧૯ નાં રોજ ગુમ થનારનું ખુન થયેલ હોય, જેને શોધી કાઢી જુનાગઢ તાલુકા પો.સ્ટેમાં ગુન્હો દાખલ કરાવામાં આવેલ છે.
(૨) હાર્બર મરીન પો.સ્ટે. દ્વારા ગુમ થનાર ધર્મેન્દ્ર આંબારામ ચંન્દ્રવંશી રહે.કાસરીયાગાવ જી.રતલામ મધ્યપ્રદેશ વાળો એક માસ ઉપર અગાઉ ભાડથર ગામ જી.દેવભુમી દ્વારકા મજુરી કામે પરિવાર સાથે આવેલ અને માનસિક બીમારીથી ઘર છોડી ચાલ્યો ગયો હોય જે પો.ઇન્સ.શ્રી એન.એન.રબારી, પો.હેઙકોન્સ. શ્રી બી.ડી.વાઘેલા તથા પો.કોન્સ.શ્રી લાખાભાઇ ભીમાભાઇને તા.૧૧/૧૨/૨૦૧૯નાં ક.૧૪/૦૦નાં રોજ મળી આવતા તેના પરિવારને સોંપી આપેલ છે.
મુદ્દા નંબર ૨:- શાળા કોલેજો ચર્ચ/ડીબેટ/અથવા તો અવરનેશ પોગ્રામ ચલાવવામાં આવ્યા હોય
(૧) ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે તા.૧૫/૧૨/૨૦૧૯નાં નિશાન પ્રદાન દિવસ નિમીતે જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરનાં કુલ-૧૩૪ બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી તેમને ઓટોમેટીક હથીયાર પ્રદર્શન કરાવવામાં આવેલ તેમજ પોલીસની કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|