પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૪/૦૨/૨૦૨૦ થી તા.૦૧/૦૩/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કિર્તીમંદિર પો.સ્ટે. જા.જોગ રજી.નં. ૨/૧૯ તા.૯/૧/૨૦૧૯ના કામે ગુમ થનાર દિપાલીબેન D/O બાબુભાઇ મોહનભાઇ પાઠક ઉ.વ.૨૨ રહે.ગોપીનાથજીની હવેલી ભાટીયા બજાર પોરબંદર વાળીને તા.૨૭/૨/૨૦૨૦ના રોજ કિર્તીમંદિર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી, આર.એચ.જારીયા તથા લોક રક્ષક વી.આર.વિંજુડા એ બંગડી બજાર પોરબંદરથી શોધી કાઢેલ છે.
(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૦૬/૨૦૨૦ તા.૧૫/૧/૨૦૨૦ના કામે ગુમ થનાર રમેશ રામલીંગ અયર લગુડવા ઉ.વ.૨૮ રહે.બિરલા ફેકટરી સામે બાલાજી દંગામાં પોરબંદર મુળ રહે.તમીલનાડુ જી.સેલમ અનાનગર વાળો તા.૨૬/૨/૨૦૨૦ના રોજ રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે ન્યુ ચા ની હોટલેથી મળી આવેલ છે તેના મા-બાપ પોરબંદર તેના ઘરે પરત લાવેલ છે.
(૩) કમલાબાગ પો.સ્ટે ગુમ.જા.જોગ નં.૦૨/૨૦૧૨, અનિષાબેન વા/ઓ નાશીરભાઈ જુસબભાઈ મલેક, ઉ.વ.૧૯ રે. છાંયા મસ્જીદ પાછળ પોરબંદર ને તા.૨૪/૦૨/૨૦૨૦ ના રોજ પો.સ.ઈ. શ્રી એસ.ડી.રાણા એ શોધી કાઢેલ છે.
(૪) કમલાબાગ પો.સ્ટે ગુમ.જા.જોગ નં.૧૦/૨૦૨૦, છાંયાબેન ડો/ઓ ચંદુભાઈ ડોડીયા ઉ.વ.૨૫ રે. રધુવંશી સોસાયટી સામે પોરબંદર ને તા.૨૮/૦૨/૨૦૨૦ ના રોજ શ્રી એસ.ડી.રાણા એ શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૨ :- શાળા, કોલેજમાં ચર્ચા/ડીબેટ અથવા તો અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
(૧) કમલાબાગ પો.સ્ટે. તા.૨૬/૦૨/૨૦૨૦ ના રોજ વી.જે.મોઢા કોલેજના વિદ્યાર્થીઓને કમલાબાગ પો.સ્ટેની મુલાકાત લેવડાવી અને પો.સ્ટે.ના તમામ ટેબલોની કામગીરી તેમજ સાઈબર ક્રાઈમ ને લગત માહિતી આપવામાં આવી.
(ર) કીર્તિમંદિર પો.સ્ટે. તા.૨૮/૦૨/૨૦૨૦ ના ક.૧૩/૦૦ થી ક.૧૩/૩૦ સુધી કીર્તિમંદિર પો.સ્ટે.ની બ્રાન્ચ સ્કૂલમાં બેડટચ તથા ગુડટચ તથા વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરેલ જેમાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.
(૩) હાર્બર મરીન પો.સ્ટે. તા.૨૭/૦૨/૨૦૨૦ ના રોજ જાવર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવેલ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.
જે આપશ્રીને વિદિત થાય.
( ભરત પટેલ )
ના.પો.અધિ., મુખ્ય મથક
પોરબંદર
|