પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૩/૦૮/૨૦૨૦ થી તા.૦૯/૦૮/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૭૦/૨૦૨૦ તા.૨૮/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર વીરલબેન ડો/ઓ રમેશભાઇ ખોડાભાઇ ડાભી રહે.કડીયાપ્લોટ પટેલ મીલ પાસે પોરબંદર તા.૦૮/૦૮/૨૦૨૦નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી એ.એચ.ચોવટ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
(૨) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૭૧/૨૦૨૦ તા.૩૦/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર દર્શનાબેન ડો/ઓ અશોકભાઇ ભીમજીભાઇ રાઠોડ ઉ.વ.૨૦ રહે.તરસાઇ ગામ તા.૦૪/૦૮/૨૦૨૦નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી જે.ડી.દેસાઇ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
(૩) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૭૨/૨૦૨૦ તા.૩૧/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર રીનાબેન વા/ઓ અશોકભાઇ નંદલાલભાઇ લાબડીયા ઉ.વ.૨૭ રહે.મીલપરા શેરી નં.૪ પોરબંદર તા.૦૩/૦૮/૨૦૨૦નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી એ.એચ.ચોવટ તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૬:- લોકહિતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો:-
(૧) કીર્તીમંદીર પો.સ્ટે.ના થાણા અધિકારીશ્રી દ્વારા આગામી તા.૨૯,૩૦/૦૮/૨૦૨૦ ના રોજ મહોરમ તાજીયા સબબ કોઇ જુલુસ કે મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તાજીયા કમીટીના પ્રમુખ કરીમભાઇ પીરજાદા વીગેરે -૬ આગેવાનો સાથે તા.૦૯/૦૮/૨૦૨૦ ના ક.૧૬/૦૦ થી ક.૧૬/૨૦ સુધી ચર્ચા કરવામાં આવી અને હાલમાં નોવેલ કોરોના વાયરસ અંગે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ.
(૨) કીર્તીમંદીર પો.સ્ટે.ના થાણા અધિકારીશ્રી દ્વારા આગામી તા.૨૨/૦૮/૨૦૨૦ થી તા.૦૧/૦૯/૨૦૨૦ સુધી ગણેશ ઉત્સવ નો તહેવાર હોય જે સબબ કોઇ પંડાલો (માંડવા) બાધે નહી, કે મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય, અને કોરોના સંક્રમણ ન થાય તે માટે ખારવા સમાજ મઢી ખાતે ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ વિગેરે-૦૪ આગેવાનો સાથે તા.૦૯/૦૮/૨૦૨૦ ના ક.૧૬/૩૦ થી ક.૧૬/૫૫ સુધી મીટીંગ રાખવામાં આવેલ. તેમજ નોવેલ કોરોના વાયરસ અંગે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર
|